નવી દિલ્હી, તા. 6 જુલાઈ 2019 શનિવાર
બીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ભાજપના સભ્યપદ અભિયાન સહિત કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી બજેટ વિશે પણ પોતાના વિચાર રજૂ કરશે.

- PM મોદીએ વારાણસીમાં ભાજપના રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી.
- પ્રતિમા અનાવરણ બાદ મોદી સવારે 10:25 પર માર્ગથી હરહુઆ આવેલા પ્રાથમિક વિદ્યાલય કેમ્પસ પંચકોશી માર્ગ પર નવગ્રહ વાટિકામાં પીપળાનું વૃક્ષ રોપ્યુ.
- સવારે 10:45 પર વડાપ્રધાન હરહુઆથી રવાના થઈને માર્ગથી લાલપુર આવેલા દીનદયાળ ઉપાધ્યાય હસ્તકલા સંકુલ પહોંચશે.
- 11:20 પર વડાપ્રધાન મોદી ભાજપના રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
- જે બાદ વડાપ્રધાન મોદી હેલિપેડ પર પહોંચશે, જ્યાંથી તે હેલિકૉપ્ટરથી પોલીસ લાઈસન્સ માટે રવાના થશે. બપોરે 12:30 પર વડાપ્રધાન મોદી વારાણસી પોલીસ લાઈસન્સ પહોંચશે
- તે દશાશ્વમેઘ ઘાટની નજીક બનેલા વર્ચ્યુઅલ મ્યુઝિયમનું નિરીક્ષણ કરશે.
- બપોરે 1:00 વાગે વડાપ્રધાન મોદી અહીંથી રવાના થશે
- વારાણસી પોલીસ લાઈસન્સ પહોંચીને હેલિકૉપ્ટરથી સીધા લાલબહાદુર શાસ્ત્રી એરપોર્ટ પહોંચશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FWkQfr
via Latest Gujarati News
0 Comments