
નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2020 શુક્રવાર
- કોરોના વિશે પીએમ મોદીનો સંદેશ, જનતા કર્ફ્યુ દુનિયા માટે મિસાલ બન્યુ
- પીએમ મોદીએ વીડિયો સંદેશ પાઠવી દેશવાસીઓની કામગીરીને બિરદાવી
- કોરોના લૉકડાઉનમાં દેશવાસીઓએ અનુશાસન અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું
- કોરોનાનો અંધકાર દૂર કરીએ, 5 એપ્રિલે રાત્રે 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીએ
- ચાલો સૌ ભેગા થઈને કોરોનાની મહામારીને હરાવીએ અને ભારતને વિજયી બનાવીએ
- 5 એપ્રિલે કોરોનાના અંધકારને પડકારી રાત્રે 9 વાગ્યે ઘરની તમામ લાઇટો બંધ કરીને 9 મિનિટ સુધી મીણબત્તી કે દિવો પ્રગટાવીએ
- આ પ્રકાશથી આપણે આપણા મનમાં સંકલ્પ કરીએ આપણે એકલા નથી.
- કોરોના અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ છે તેમાંથી દેશને પ્રકાશ તરફ લઈ જવાના છે.
કોરોનાની મહામારી વચ્ચે PM મોદીએ વીડિયો સંદેશથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ છે. વીડિયો સંદેશ દ્વારા દેશને નવો મેસેજ આપ્યો. અત્યારે દેશ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થવાની તૈયારી છે.
ગુરૂવારે વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી હતી કે શુક્રવારે સવારે 9 વાગે તેઓ દેશને એક નાના વીડિયો સંદેશના માધ્યમથી સંબધિત કરશે. આ સંદેશમાં લોકોને કોરોનાથી બચવા માટે અપીલ કરાઈ.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/345lvWV
via Latest Gujarati News
0 Comments