
મુંબઈ, તા. 12 મે, 2020, મંગળવાર
કોરોનાના આક્રમણને રોકવા અને નાથવા મુંબઈ મહાનગરપાલિકાએ હવે હોમિયોપથીનો આશરો લેવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા પાલિકાએ હાઈડ્રોક્સી ક્લોરોક્વિનનો અને આયુર્વેદ ઔષધી ઝીન્ગીવીર- એચ-નો પણ પ્રયોગ કર્યો હતો.
મહાનગર પાલિકાએ શહેરના જી-નોર્થ અને કે-વેસ્ટ વોર્ડના અધિકારીઓને એક ખાસ સર્ક્યુલર પાઠવીને હોમિયોપથીની 'આર્સેનિકલ એલ્બમ-૩૦' નામની દવા નાગરિકોને નિઃશુલ્ક આપવા જણાવ્યું છે. સાથો સાથ કઈ ઉંમરની વ્યક્તિએ આ દવાનો ડોઝ કેટલી માત્રામાં લેવો તેની સૂચના પણ આપી છે.
ભારત સરકારના આયુષ મંત્રાલય સાથે જોડાયેલી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન હોમિયોપથી (સીસીઆરઅચ) નાં સૂત્રોએ કોરોનાનાં દરદીઓની સારવારમાં આર્સેનિકમ એલ્બમ-૩૦ નો પણ ઉપયોગ કરવા ભલામણ્ કરી છે.
મહાનગર પાલિકાનાં એક્ઝિક્યુટીવ હેલ્થ ઓફિસર પદ્મજા કેસકરે હમણાં શહેરના જી-નોર્થ અને કે-વેસ્ટ વોર્ડના અધિકારીઓને પરિપત્ર પાઠવીને હોમિયોપથીની આ દવા કોરોનાનાં લક્ષણો ન ધરાવતી હોયતેવી તમામ વ્યક્તિઓને પણ આપવા સૂચના આપી છે. હોમિયોપથીની આ દવાનો ઉપયોગ કેરળ અને આંધ્રપ્રદેશમાં પણ થયો છે. આ બંને રાજ્યોમાં કોઈપણ વ્યક્તિમાં આ દવાની આડઅસર પણ વરતાઈ નથી. હવે આ દવા મુંબઈમાંના ક્વોરેન્ટીન સેન્ટરોમાં પણ આપી શકાયછે.
જી-નોર્થના આસિસ્ટન્ટ કમિશનર કિરણ દીઘાવકરે એવી માહિતી આપી હતી કે અમે સોમવારથી હોમિયોપથીની આર્સેનિકમ એલ્બમ-૩૦ દવા આપવાનું શરૃ કર્યું હતું. ખાસ કરીને સીસીસી-૧ અને સીસીસી-૨(કોરોના વાઈરસ ડિસીઝ કેર સેન્ટર્સ) માં આપવાનું શરૃ કર્યું છે.
બીજીબાજુ મહારાષ્ટ્ર હોમિયોપથિક કાઉન્સિલ સાથે જોડાયેલા ડો.અજિત કુંદેએ એમ કહ્યું હતું કે હોમિયોપથીની આર્સેનિકમ એલ્બમ-૩૦ દવાનો ઉપયોગ રાજસ્થાન, કેરળ, ગુજરાત, મધ્ય પ્રદેશમાં થયો છે અને તેના પરિણામ પણસાનુકૂળ આવ્યાં છે. ઉપરાંત અમે અમારી કાઉન્સિલ દ્વારા પણ આ દવા ઘણા લોકોને આપી છે. આમ તો કોરોનાની કોઈ ચોક્કસ દવા કે રસી હજી સુધી નથી શોધાઈ. આમ છતાં તેની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને આર્સેનિકલ એલ્બમ-૩૦ આપવાથી રાહતરૃપ પરિણામ આવી શકે છે. આમ તો હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને આર્સેનિક એલ્બમ-૩૦ મેલેરિયાની સારવારમાં અપાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cEqu4t
via Latest Gujarati News
0 Comments