
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર
મણિરત્નમની આગામી ફિલ્મમાં ઐશ્ચર્યા રાય કામ કરવાની છે તેવી ચર્ચા હાલ થઈ રહી છે. આ ફિલ્મમાં ઐશ્ચર્યા દક્ષિણના જાણીતા એક્ટર સત્યરાજ સાથે જોડી જમાવશે. સત્યરાજે 'બાહુબલી' ફિલ્મમાં કટપ્પાનું પાત્ર ભજવીએ લોકપ્રિયતા મળવી હતી. હવે કટ્ટપ્પાને વધુ એક સારી ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તે ઐશ્ચર્યાના પતિના પાત્રમાં જોવામળે તેવી વાત છે.
મીડિયાને મળેલી જાણકારી અનુસાર, સત્યરાજની મણિરત્નમની ફિલ્મ 'પોન્નિી સેલ્વમ'માં એન્ટ્રી થઈ ગઈછે આ એ જ ફિલ્મ છે જેમાં ઐશ્ચર્યા રાય બચ્ચન કામ કરવાની છે. આ ફિલ્મમાં મણિરત્નમ અમિતાભ બચ્ચનને પણ લેવાનો વિચાર કરી રહ્યો છે. જોકે હજી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુજો આમ થશે તો, ઐશ્ચર્યા-અમિતાભ પુત્રવધૂ-સસરા રૂપેરી પડદે ફરી સાથે જોવા મળશે.
મણિરત્નમે આ ફિલ્મ માટે ઐશ્ચર્યા અને અમિતાભ બન્નેનો સંપર્ક કર્યો છે. ઐશ્ચર્યાએ આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે. જ્યારે અમિતાભ પોતાની વ્યસ્તતાને કારણે નિર્ણય લઈ શક્યા નથી.
બોલીવૂડમાં ચર્ચા એવી પણ છે કે, મણિરત્નમને બચ્ચન પરિવાર સાથે સારા સંબંધ હોવાથી અમિતાભ આ ફિલ્મની તારીખો સાથે મેળ કરવાનો પ્રયાસ કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PoyBHh
via Latest Gujarati News
0 Comments