લદ્દાખમાં 17 હજાર ફૂટ પર જવાનોએ ફરકાવ્યો તિરંગો, ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર

સમગ્ર દેશમાં આજે 71મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારતીય સેનાના જવાનોને 17000 ફૂટની ઉંચાઈ પર લદ્દાખમાં તિરંગો ફરકાવવામાં છે. 

ભારત-તિબ્બત સીમા પોલીસના જવાનોએ માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસથી પણ કામ તાપમાનના વચ્ચે ભારત માતા કી જય અને વન્દે માતરમના સૂત્રો વચ્ચે લદ્દાખમાં તિરંગો ફરકાવવામાં આવ્યો. 

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ જુદા કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા લદાખમાં ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક રેલી દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે, કલમ 370 હટાવ્યા બાદ પહેલી વાર કાશ્મીરમાં ખુલ્લા મન અને જોશથી ગણતંત્ર દિવસ મનાવવામાં આવશે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 71માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે, તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ, જય હિંદ!

from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36sxFbG
via Latest Gujarati News

Post a Comment

0 Comments