PM મોદીએ વૉર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર

સમગ્ર દેશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે દિલ્હીમાં રાજપથ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમારોહમાં દેશની વધતી સેના શક્તિ, બહુ મુલ્ય સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક-આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે.

આ દરમિયાન રાજપથ પર લાંબી-લાંબી ઝાંખીઓ, પરેડ અને આકાશમાં કરતબ દેખાતા વાયુસેનાના વિમાન રોમાંચથી ભરી દેશે. આ વર્ષે ગણતંત્ર દિવસ કાર્યક્રમના મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર મેસિયસ બોલસોનારો છે. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aKylgc
via Latest Gujarati News

Post a Comment

0 Comments