રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લહેરાવ્યો તિરંગો, 21 તોપોની સલામી અપાઈ

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર

સમગ્ર દેશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે દિલ્હીમાં રાજપથ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમારોહમાં દેશની વધતી સેના શક્તિ, બહુ મુલ્ય સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક-આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે.

આ દરમિયાન રાજપથ પર લાંબી-લાંબી ઝાંખીઓ, પરેડ અને આકાશમાં કરતબ દેખાતા વાયુસેનાના વિમાન રોમાંચથી ભરી દેશે. આ વર્ષે ગણતંત્ર દિવસ કાર્યક્રમના મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર મેસિયસ બોલસોનારો છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 71માં ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર તિરંગો ફરકાવ્યો. આ અવસરે પર તેમના 21 તોપોની સલામી આપવામાં આવી. હવે રાજપથ પર રાષ્ટ્રપતિ પરેડની સલામી લીધી. 

PMએ વૉર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ગણતંત્ર દિવસના અવસરે પીએમ મોદીએ વૉર મેમોરિયલ પર પહેલીવાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

આ દરમિયાન પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને એરફોર્સ ચીફ આરકેએસ ભદોરિયા હાજર રહ્યા. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aKylgc
via Latest Gujarati News

Post a Comment

0 Comments