
મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2020 મંગળવાર
અનિલ કપૂર, શ્રીદેવી અને અમરીશ પુરીની સફળ ફિલ્મ 'મિ. ઇન્ડિયા પરથી મિ.ઇન્ડિયા ટુ' બની રહી હોવાની ચર્ચા હતી. જોકે હવે ઝી સ્ટુડિયોએ આ ફિલ્મ અટકળનેે સમર્થન આપ્યું છે. તેણે પ્રેસ રિલિઝ બહાર પાડીને આ ફિલ્મની ઘોષણા કરી છે.
ઝી સ્ટુડિયોએ મિ. ઇન્ડિયા ટુના દિગ્દર્શન માટે અલી અબ્બાસ ઝફરને સાઇન કર્યો છે. આ ફિલ્મને પહેલી ફિલ્મ કરતા વધુ બહેતરીન બનાવાવના તમામ પ્રયાસ નિર્માતા કરવાનો છે.
'' આ એક બહુ મોટી જવાબદારી છે. વરસો પહેલા જે ફિલ્મના પાત્રોને અને ફિલ્મને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અમે હાલ મિ. ઇન્ડિયા ટુની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. સ્ક્રિપ્ટ પુરી થતા જ કલાકારોની પસંદગી કરવામાં આવશે. આ ફિલ્મ માટે પ્રી પ્રોડકશન ઘણી તૈયારી કરવી પડશે. આ ફિલ્મ આવતા વરસે ફ્લોર પર જશે, તેમ અલી અબ્બાસ ઝફરે જણાવ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SDVfP9
via Latest Gujarati News
0 Comments