રવિવારે જનતા કરફ્યુ માટે રેલવેએ રદ કરી 3700 ટ્રેનો, ફ્લાઈટો પણ રદ


નવી દિલ્હી, તા. 21 માર્ચ 2020, શનિવાર

કોરોના સામેના જોખમને ધ્યાનમાં લઈને દેશભરમાં આવતીકાલે, રવિવારે જનતા કરફ્યુ રાખવાની પીએમ મોદીએ અપીલ કરી છે. આ સંજોગોમાં રેલવે દ્વારા આવતીકાલે 3700 ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે.ખાનગી એરલાઈન્સ ગો એર તમામ અને ઈન્ડિગોએ 40 ટકા  ફ્લાઈટોની ઉડાન રદ કરી છે.

રેલવેન ાઆદેશ પ્રમાણે શનિવારે મધરાતથી જ રવિવારે રાતે 10 વાગ્યા સુધી દેશના કોઈ પણ રેલવે સ્ટેશનથી કોઈ પણ યાત્રી કે એક્સપ્રેસ ટ્રેન નહી ચાલે.જ્યારે મુબંઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈમાં એટલી જ લોકલ ટ્રેન ચલાવાશે જેટલી જરુરી છે.આ માટે દરેક ઝોનને પોતાની રીતે નિર્ણય કરવાની છુટ અપાઈ છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39asFtP
via Latest Gujarati News

Post a Comment

0 Comments