નવી દિલ્હી, તા.24 માર્ચ 2020, મંગળવાર
કોરોનાના કારણે ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવુ થયુ છે કે, રેલવેએ આખા દેશમાં ટ્રેન સેવા બંધ કરી છે.
એ પછી લોકોને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે રેલવે સોશ્યલ મીડિયા પર મેસેજ મુક્યો છે. જે ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે. રેલવે તરફથી કહેવામાં આવ્યુ છે કે, રેલવે ક્યારેય યુધ્ધના સમયમાં પણ રોકાઈ નથી. પરિસ્થિતિઓની ગંભીરતા સમજો અને ઘરમાં જ રહો.
ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા 31 માર્ચ સુધી આખા દેશમાં ટ્રેનો બંધ રાખવાની જાહેરાત કરી દેવાઈ છે. જેના લીધે કરોડો મુસાફરોની અવર જવર બંધ છે. રેલવે સ્ટેશનો સૂના છે. માત્ર માલ સામાનની હેરફેરને ધ્યાનમાં રાખીને ગૂડસ ટ્રેનો ચાલુ રાખવામાં આવી છે.
भारतीय रेल कभी युद्धकाल में भी नहीं रुकी
— Ministry of Railways (@RailMinIndia) March 23, 2020
कृपया परिस्थितियों की गम्भीरता समझिए
घर में ही रहिये।
🙏🙏
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QDFCFV
via Latest Gujarati News
0 Comments