
મુંબઈ, તા. 19 એપ્રિલ 2020, રવિવાર
લોકોનો મોટો સમુદાય ભેગો થતો ટાળી કોરોના વાયરસનો પ્રસાર રોકવા મહારાષ્ટ્ર સરકારે એક એડવાઈઝરી બહાર પાડી રમઝાન દરમ્યાન મુસ્લિમોને ઘરે જ નમાજ પઢવા અને રોઝા (ઉપવાસ) છોડવા જણાવ્યું છે.
લઘુમતિને લગતી બાબતોના ખાતાના એડીશનલ ચીફ સેક્રેટરી જયશ્રી મુખરજીએ એડવાઈઝરીમાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે મસ્જિદોમાં મોટી સંખ્યામાં ભેગા થઈ નમાજ ન પઢવાનું સમાજના બહોળા હિતમાં છે. કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રાલયે પણ રમઝાનમાં નમાજ પઢવા અને ઈફતાર માટે સમુહમાં ભેગા ન થવાની મુસ્લિમોને અપીલ કરી છે.
આખા દેશમાં ૩ મે સુધી લોકડાઉન લંબાવાયો છે. એ દરમ્યાન તમામ ધર્મના અનુયાયીઓને તહેવારો જાહેરમાં ઉજવવાની અને પુજા સ્થલોમાં સામુહિક રીતે પુજા- અર્ચના કરવાની મનાઈ ફરમાવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ જુદી જુદી અપીલોમાં ધર્મગુરુઓ અને આગેવાનોને મેળાવડાઓ ન યોજવાનો અનુરોધ કર્યો છે.
મહારાષ્ટ્રના લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે પણ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે મુસ્લિમોએ ઈફતાર માટે કે નમાઝ પઢવા બિલ્ડીંગોના ગ્રાઉન્ડ કે ટેરેસમાં પણ ભેગા ન થવું. લોકડાઉનના નિયમોનું બધાએ ચુસ્તપણે પાલન કરવું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34POD4O
via Latest Gujarati News
0 Comments