'અમારા દિવસો આવ્યાં ત્યારે તારું શુ થશે?': શિવરાજસિંહ ચૌહાણની કલેક્ટરને ધમકી

ભોપાલ, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણ એક ચૂંટણીસભા દરમિયાન કલેક્ટરને ધમકી આપી બેઠાં. શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરને છિંદવાડાના ઉમરેઠમાં ઉતરવાની મંજૂરી આપવામાં ન આવી અને તેમણે ત્યાં સડકમાર્ગે પહોંચવું પડ્યું.

બાદમાં રેલીમાં કલેક્ટરને ધમકા આપતા શિવરાજસિંહે કહ્યું કે બંગાળમાં મમતાદીદી હેલિકોપ્ટર ઉતરવા દેતાં નહોતાં. હવે મમતા દીદી બાદ કમલનાથ દાદા. એ પિઠ્ઠું કલેક્ટર સાંભળી લે, અમારા દિવસો પણ જલ્દી આવશે, ત્યારે તારું શું થશે?

જાણવા મળ્યા મુજબ શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરે સાંજે 5:30 વાગ્યે લેન્ડ કરવાનું હતું પરંતુ બાદમાં તેમને જાણકારી આપવામાં આવી કે તેઓ પાંચ વાગ્યા પછી હેલિકોપ્ટર લેન્ડ નહીં કરી શકે. આમ હેલિકોપ્ટરને ઉતરવા દેવાની મંજૂરી ન મળતા શિવરાજસિંહને છિંદવાડાના ઉમરેઠ ખાતે ચૂંટણીસભામાં સડકમાર્ગે પહોંચવાની ફરજ પડી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ISbQu8
via Latest Gujarati News

Post a Comment

0 Comments