નવી દિલ્હી,તા.14.એપ્રિલ 2019 રવિવાર
ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહને રામ મંદિરની યાદ આવી ગઈ છે.
દિગ્વિજયસિંહે ભોપાલના એક રામ મંદિરમાં પૂજા કર્યા બાદ ટ્રસ્ટને મંદિરની જમીન પાછી આપવા માટે આશ્વસાન આપ્યુ હતુ.જોકે ભાજપ દિગ્વિજયસિંહના આ વાયદા બાદ ભડકી હતી.
ભાજપે કહ્યુ હતુ કે, હવે જ્યારે ચૂંટણી સામે છે ત્યારે દિગ્વિજયસિંહને ભગવાન રામ યાદ આવે છે અને હનુમાનજી પણ યાદ આવે છે.હકીકત તો એ છે કે, ભોપાલ નજીક તલૈયા વિસ્તારમાં રામ મંદિરની જમીન જિલ્લા કોંગ્રેસે પડાવી લીધી છે.
દરમિયાન ભોપાલના એક કાઉન્સિલરે કહ્યુ હતુ કે, જમીન અંગે જે વિવાદ હતો તેમાં કોર્ટે જમીન જિલ્લા કોંગ્રેસ કમિટીની હોવાનો ચુકાદો આપ્યો હતો.ભાજપ જો ખરેખર હિન્દુ સમર્થક પાર્ટી હોય તો તેણે દિગ્વિજયસિંહની જમીન મંદિરને અપાવવાની વાતને સમર્થન આપવુ જોઈએ.દિગ્વિજયસિંહ ખરા અર્થમાં ધાર્મિક છે.જેમણે 3300 કીમીની લાંબી નર્મદા પરિક્રમા કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IiFbhW
via Latest Gujarati News
0 Comments