
નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર
લોકસભાની ચૂંટણીમાં નેતાઓની નિવેદનબાજી પર ચૂંટણી પંચે કરેલી લાલ આંખ પછી પણ આવા બયાનો આપવાનો સિલસિલો ચાલુ જ છે.
હવે તેમાં કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિધ્ધુનુ નામ જોડાયુ છે.સિધ્ધુએ બિહારના બલરામપુરમાં એક સભાને સંબોધતી વખતે માયાવતીની જેમ જ વિવાદાસ્પદ નિવેદન આપીને મુસ્લિમ સમુદાયને એક થઈને કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી.
સિધ્ધુએ કહ્યુ હતુ કે, આ લોકસભા મત વિસ્તારમાં લઘુમતીઓ બહુમતિમાં છે ત્યારે જો તમે એક થશો તો કોંગ્રેસના ઉમેદવાર તારીક અનવરને કોઈ નહી હરાવી શકે.હું મારા મુસ્લિમ ભાઈઓને એક જ વાત કહેવા આવ્યો છું કે, આ વિસ્તારમાં તમે લઘુમતી નહી બહુમતી બનીને રહો.તમારા મતદારો 62 ટકા છે.ભાજપના કાવતરાખોર લોકો તમારા ભાગલા પડાવવાનો પ્રયાસ કરશે.
આ પહેલા માયાવતીએ પણ આવુ જ નિવેદન આપીને મુસ્લિમોને મહાગઠબંધન માટે એક થઈને મતદાન કરવા કહ્યુ હતુ.ચૂંટણી પંચે જે બદલ માયાવતી પર 48 કલાક ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મુક્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DggcrA
via Latest Gujarati News
0 Comments