
અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર
એંટીઓક્સિડેટ્સ અને વિટામિન સીથી ભરપૂર સંતરા પુરુષોમાં શુક્રાણુની ગુણવત્તા સુધારે છે. સંતરાનો જ્યૂસ શુક્રાણુની ગતિ પણ વધારે છે. આ જ્યૂસ પુરુષોમાં ફર્ટિલિટીની સમસ્યાઓને દૂર કરે છે એટલે જે પુરુષોમાં શુક્રાણુની ખામી હોય તેમણે નિયમિત રીતે 1 સંતરું ખાવું જોઈએ. સંતરામાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, કોલિન, કૈલ્શિયમ, કોપર અને વિટામીન બી-1 હોય છે. આ ફળમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. તેથી તે વજન પણ ઘટાડે છે.
- શુક્રાણુ નબળા હોય તે પુરુષોએ નિયમિત સંતરાનું સેવન કરવું જોઈએ. સંતરામાં રહેલા ફોલિક એસિડ અને વિટામિન શુક્રાણુઓને સુધારે છે.
- સંતરામાં રહેલું ફોલિક એસિડ મગજનો વિકાસ પણ સારી રીતે કરે છે. તેમાં પોષકતત્વો વધારે હોવાથી ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ તે ગુણકારી સાબિત થાય છે.
- સંતરાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સ બચાવે છે.
- વિટામિન સી અને બી એંટી એજિંગ ગુણ ધરાવે છે તેથી તેનાથી ત્વચા બેદાગ અને યુવાન રહે છે.
- સંતરાનું સેવન આંખ માટે પણ ગુણકારી છે. તેનાથી આંખની સમસ્યાઓ દૂર થાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UZU7aO
via Latest Gujarati News
0 Comments