
નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2019, મંગળવાર
પશ્ચિમ બંગાળમાં TMC માટે બાંગ્લાદેશી અભિનેતા ફિરદોસના ચૂંટણી પ્રચાર કરવા માટે ગૃહમંત્રાલયે વિદેશી ક્ષેત્રીય નોંધણી કાર્યાલય પાસે રિપોર્ટ માંગ્યો છે. ફિરદૌસ અહમદ રવિવારે રાયગંજ મતવિસ્તારમાં TMCના ઉમેદવાર કનૈયાલાલ અગ્રવાલના પક્ષમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જેના પર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી છે.
બાંગ્લાદેશી એક્ટરના ચૂંટણી પ્રચારમાં સામેલ થયા બાદ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ તરફથી દાવો કરવામાં આવ્યો કે, ચૂંટણી પ્રચારમાં કોઇ વિદેશી નાગરિકનું સામેલ થવું ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. ભાજપે તેવો પણ દાવો કર્યો કે, રાયગંજમાં લઘુમતિઓના મત માટે TMCએ બાંગ્લાદેશી અભિનેતા પાસે ચૂંટણી પ્રચાર કરાવ્યો, જે આચારસંહિતાનો ભંગ છે.
ભાજપના નેતા જેપી મજુમદારે મંગળવારે ચૂંટણીપંચમાં તેની ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, વિદેશી નાગરિક ભારતીય ચૂંટણી પ્રચારનો હિસ્સો કેવી રીતે બની શકે છે. TMC બાંગ્લાદેશી કલાકારો પાસે ચૂંટણી પ્રચાર કરાવી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ભાજપના નેતાનું કહેવું છે કે, વીઝા નિયમના ઉલ્લંઘન કરવાના આરોપમાં તે કલાકારોની ધરપકડ કરવામાં આવવી જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYCV5t
via Latest Gujarati News
0 Comments