અમદાવાદ, તા. 26 મે 2019 રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે ગુજરાતની મુલાકાતે છે. ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. 30મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા PM મોદી માતા હીરાબાના આશિર્વાદ લેવા ગુજરાત આવવાના છે.
ખાનપુર જે.પી ચોકીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોકમાં ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે. મોદી અહીં કાર્યકરોને સંબોધન પણ કરશે.
Live:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યાં
- આવતીકાલે કાશી વિશ્વનાથના દર્શન કરશે
- વિજય રૂપાણી અને નીતિન પટેલ એરપોર્ટ પર પહોંચ્યા
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YPSFpI
via Latest Gujarati News
0 Comments