
નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર
ભારતીય પરીવારોમાં બાળકો વયસ્ક ન થાય ત્યાં સુધી તેના માતા પિતા સાથે જ સુવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત બાળકો માટે સારી છે કે નહીં ? જો તમે પણ બાળકને સાથે સુવડાવવાથી થતા નુકસાનથી અજાણ હોય તો આજે જાણો અને પોતાની આદત બદલી દો.
માતા પિતા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરતા હોય છે. તેથી જ તેઓ બાળકને પોતાની નજીક રાખવાનો પ્રયત્ન કરે છે. બાળક 10,12 વર્ષનું થાય ત્યાં સુધી તો તે માતા પિતા સાથે એક જ પલંગમાં સુવે છે. પરંતુ આ આદતથી ઊંઘમાં ખલેલથી માંડી અનેક સમસ્યા સર્જાય છે જેના પર માતાપિતા ધ્યાન આપતા નથી. રાત્રે બાળક જાગી જાય, રડે જેવી ક્રિયાથી માતાપિતા બંનેને સમસ્યા થાય છે.
એક સર્વે અનુસાર બાળકને પોતાની સાથે સુવડાવતી મહિલાઓ બાળકની ઊંઘને લઈને ચિંતા કરે છે. જેના કારણે તેઓ ડિપ્રેશન પણ અનુભવે છે. એટલું જ નહીં બાળકોને સાથે સુવડાવવું અમેરિકામાં નવજાત બાળકોના આકસ્મિક મૃત્યુનું પ્રમુખ કારણ છે. પશ્ચિમી દેશોનું વાતાવરણ ઠંડું હોય છે. તેવાં લોકો ગરમ વસ્ત્રો અને રજાઈમાં બાળકોને સાથે રાખે છે જેના કારણે બાળકનો શ્વાસ રુંધાય છે. બાળકો ઊંઘમાં હોય છે અને તે બોલી શકતા નથી જેના કારણે તેમનો શ્વાસ બંધ પણ થઈ જાય છે.
જો કે ભારતની વાત કરીએ તો બાળકને સુવડાવવા માટે એટલા કપડાનો ઉપયોગ કરવામાં આવે છે કે નવજાત બાળકને શ્વાસ લેવામાં અને હલનચલન કરવામાં પણ તકલીફ પડે. નિષ્ણાંતો અનુસાર ચાર માસથી ઓછી ઉંમરના નવજાતને માતાપિતાની વચ્ચે સુવડાવવું સૌથી વધારે જોખમી છે. આ ચાર માસ દરમિયાન તેની ગરદનનો વિકાસ થાય છે. જ્યારે બાળક પોતાની જાત પડખું ફરવા લાગે કે ઉઠી શકે ત્યારે આ સ્થિતીમાં સુવડાવવું જોઈએ.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yz9iWz
via Latest Gujarati News
0 Comments