
(પીટીઆઇ) રીવા, તા. 3 મે, 2019, શુક્રવાર
વડા પ્રધાન મોદીનું ટેલી પ્રિન્ટર તેમણે ચૂંટણીમાં કરેલા રૃપિયા પંદર લાખના અને બે કરોડ નોકરી આપવાના વચન અંગે કંઇ બોલવા દેતું નથી, એમ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ટોણો મારતા કહ્યું હતું.
અત્રે ચૂંટણી સભાને સબંધતા તેમણે કહ્યું હતું કે મોદી ચોકીદાર શબ્દ બોલતાં ડરતા નથી, કારણ કે તેમને ખબર છે કે એના પછી લોકો શું બોલે છે.'તમે મોદીના ભાષણો સાંભળ્યા હશે જેમાં તેઓ ૫૬ ઇંચની છાતીની બડાશ હાંકે છે.
હવે શું ચાલી રહ્યું છે? ટેલી પ્રિન્ટરમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે મોદી ૨૦૧૪ના ચૂંટણીમાં કરેલા નોકરીના વાયદા અને દરેક ભારતીયના ખાતામાં રૃપિયા પંદર લાખ આપવાના વચન અંગે ભૂલતી પણ બોલતાં જ નહીં.જો બોલશો તો પક્ષને ભારે નુકસાન સહન કરવું પડશે.
આમ તો મોદી સભાઓમાં ત્વરિત ભાષણ આપે છે, પરંતુ કેટલીક જગ્યાએ તેમને ટેલી પ્રિન્ટરની પણ જરૃર પડે છે. ટીવીની ફ્રેમમાં એ મશીન દેખાતું નથી.'કોંગ્રેસે ન્યાય યોજના હેઠળ પાંચ વર્ષમાં ગરીબ પરિવારોને રૃપિયા ૩.૬૦ લાખ આપવાનું વચન આપ્યું છે.
એટલા માટે હવે મોદી ખૂબ અચકાઇને બોલે છે. મોદી મુઠ્ઠીભર લોકોના ચોકીદાર બની ગયા છે. તેઓ માલદારોને ગરીબોના પૈસા આપે છે. મોદી તો અદાણી, અંબાણી, લલીત મોદી અને નિરવ મોદીના ચોકીદાર બની ગયા છે'એમ તેમણે કહ્યું હતું.
જો કે દેશ ઇચ્છતું હતું કે તેઓ પ્રજાના ચોકીદાર બને ખેડૂતોના ચોકીદાર બને, મજુરોના, નાના દુકાનદારોના અને સમાજના નબળા વર્ગના લોકોના ચોકીદાર બને, પણ થયું ઉલ્ટું, એમ કોંગ્રેસ પ્રમુખે સભામાં મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું.
'બે કરોડો યુવાનોને નોકરી આપવાનું કહી મોદીએ યુવાનોને છેતર્યા. બન્યુ એનાથી ઉલ્ટું ૨૭૦૦૦ લોકો દર ૨૪ કલાકે નોકરી ગુમાવી રહ્યા છે. ભારતનો બેકારીનો દર છેલ્લા ૪૫ વર્ષનો સૌથી મોટો થયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vaoyf4
via Latest Gujarati News
0 Comments