શિયાળો પૂરો થતાં બદ્રીનાથ ધામના કપાટ ફરી ખુલ્યા


(પીટીઆઈ) ગોપેશ્વર, તા. 10 મે, 2019, શુક્રવાર

શિયાળાના લાંબા અંતરાલ બાદ શુક્રવારે બદ્રીનાથ મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્યા હતા. હિમાલયમાં આવેલા યાત્રાધામના મુખ્ય પુજારી ઈશ્વરી પ્રસાદ નંબુદિરીએ ધાર્મિક વિધિઓ બાદ સવારે ૪:૧૫ કલાકે ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ, મંદિર સમિતિ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં મંદિરના કપાટ ખુલ્લા મુક્યા હતા.

મંદિર સમિતિના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ઉંચાઈએ આવેલા મંદિરના દ્વાર ખુલવાના પ્રથમ દિવસે જ ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્ય અને પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yoqn5w
via Latest Gujarati News

Post a Comment

0 Comments