
મુંબઇ, તા. 20 જૂન 2019, ગુરુવાર
આજે સવારે ૭.૪૨ વાગ્યે અને ત્યારબાદ ૮.૨૭ વાગ્યે સતારા અને વાઈમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હોવાની માહિતી ભારતીય હવામાન ખાતાએ આપી હતી. આ ભૂકંપના ઝટકાને પગલે નાગરિકોમાં ખળભળાટ મચી ગયો હતો.
પહેલાં ભૂકંપનો ઝટકો ૪.૨ની તીવ્રતાનો હોવાનું જણાયું હતું તો બીજો ઝટકો ૩.૦ની તીવ્રતાનો હતો. પહેલો ભૂકંપ ૧૦ કિલોમીટર ઊંડે તો બીજો ભૂકંપ ૫ કિલોમીટર ઊંડે આવ્યો હતો.
નસીબજોગે અત્યાર સુધીમાં આ ભૂકંપને પગલે કોઈ જ મોટી જાનહાની નોંધાઈ નથી. પરંતુ સતારામાં અનુભવાયેલા આ ભૂકંપના ઝટકા કોયના, કરાડ અને પાટણ પરિસરમાં પણ લોકોએ અનુભવ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31NVjOM
via Latest Gujarati News
0 Comments