તૂર્કીમાં ભૂકંપથી 18નાં મોત, 550થી વધુ ઘાયલ થયા

અંકારા 25 જાન્યુઆરી 2020 શનિવાર 

તૂર્કીના પૂર્વ વિસ્તારમાં શુક્રવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના પગલે ઓછામાં ઓછા 18 જણ માર્યા ગયા હતા અને 550થી વધુને ઇજા થઇ હતી.

દેશના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ આ સમાચારને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પહેલા મોટા આંચકા બાદ નાના નાના બીજા 35 આંચકા આવ્યા હતા અને જાનમાલની ભારે ખુવારી થઇ હતી.

દેશમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. વિવિધ સામાજિક સંસ્થા લોકોની વહારે ચડી હતી અને અસરગ્રસ્ત લોકોને ભોજન અને ઓઢવાના ધાબળા પૂરા પાડી રહી હતી. યૂરોપિયન-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે 5-55 વાગ્યે આવેલા મોટા આંચકાનું કેન્દ્ર ગજિયાંટેપ શહેરથી 218 કિલોમીટર દૂર ઇશાન ખૂણે 15 કિલોમીટરના વિસ્તારમાં હતું.

દરમિયાન, તૂર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તઇપ એડોર્ગને કહ્યું હતું કે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પહોંચાડાઇ રહી હતી. સૌને પૂરતી સહાય કરવાના અમારા પ્રયાસો ચાલુ હતા.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GlVmrN
via Latest Gujarati News

Post a Comment

0 Comments