નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2020 રવિવાર
ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં જીત બદલ શુભકામનાઓ આપી છે. સાથે જ તેમણે કેજરીવાલને ચાર વિનંતી કરતા લખ્યુ કે દિલ્હીમાં પ્રદૂષણ, સ્વચ્છ પાણી, રોડ, ઉદ્યોગ અને યમુના માટે ખાસ પગલા ઉઠાવવા જરૂરી છે. જો આ દિશામાં તાત્કાલિક નિર્ણાયક પગલા ના લેવાયા તો શહેર કેટલાય વર્ષ પાછળ જતુ રહેશે.
બીજી વિનંતીમાં કપિલે દિલ્હીમાં આયુષ્યમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાને જલ્દ લાગુ કરવા કહ્યુ. કપિલ મિશ્રાએ ત્રીજી વિનંતીમાં અરવિંદ કેજરીવાલને કહ્યુ કે નગર નિગમોને પૈસા આપી દો. શહેરમાં નગર નિગમ સારી રીતે ચાલે એ સૌ માટે જરૂરી છે.
મિશ્રાએ ટુકડે-ટુકડે ગેંગની ફાઈલ ના રોકવા વિનંતી કરી. કપિલે કહ્યુ કે હવે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. રાજકારણ છોડીને દિલ્હીનું કામ કરીએ. કેન્દ્ર સરકાર પાસેથી દિલ્હીને કોઈ પણ કામ હોય તો તેઓ વિના સંકોચ જણાવી શકે છે.
Kapil Mishra letter to @ArvindKejriwal
— Kapil Mishra (@KapilMishra_IND) February 16, 2020
जीत की बधाई और चार अनुरोध -
1. पॉल्युशन, साफ पानी, सड़कें, इंडस्ट्री व यमुना के लिए ठोस कदम जरूरी
2. आयुष्मान भारत लागू कीजिये
3. नगर निगमों को पैसा दे दीजिए
4. टुकड़े टुकड़े गैंग की फाइल अब मत रोकिए pic.twitter.com/0sXht1Eh5q
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uFdFGk
via Latest Gujarati News
0 Comments