રામલીલા મેદાન પહોંચ્યા કેજરીવાલ, થોડી વારમાં શપથ ગ્રહણ

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2020 રવિવાર

BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા

- કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા છે. તેમણે જણાવ્યુ કે જીત અને સફળતાનો મંત્ર હોય છે ઝૂકીને ચાલવુ. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે મળીને કામ કરશે. 

- અરવિંદ કેજરીવાલ રામલીલા ગ્રાઉન્ડ પહોંચી ચૂક્યા છે. સ્ટેજ પર એલજી અનિલ બેજલની સાથે મનીષ સિસોદિયા પણ હાજર છે.

અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન માટે નીકળી ચૂક્યા છે. બપોરે 12:15 વાગે તેઓ સીએમ પદના શપથ ગ્રહણ કરશે. ત્યાં એલજી પણ શપથ ગ્રહણ સમારોહ માટે નીકળી ચૂક્યા છે.

કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 1 વર્ષના મફલરમેન અવ્યાન તોમરને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યુ કે ભારતીય લોકતંત્રમાં નફરતની રાજનીતિનું કોઈ સ્થાન નથી. કેજરીવાલે જૂની ટીમને પોતાના વિશ્વાસને બેવડ્યો છે કેમ કે લોકો તેમની પર વિશ્વાસ કરે છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37rvrtH
via Latest Gujarati News

Post a Comment

0 Comments