નાગપુરની મેયો હોસ્પિટલમાંથી કોરોનાના ચાર સંદિગ્ધ દરદીઓ નાસી છૂટયા


મુંબઇ,તા.14 માર્ચ 2020 શનિવાર

નાગપુરની મેયો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ચાર શંકાસ્પદ દરદીઓ નાસી છૂટતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો  હતો. આજે સવારે આ ઘટના ધ્યાનમાં આવતા સ્થાનિક પોલીસ અને મેયો હોસ્પિટલમાં અફરાતફરી મળી હતી.

મળેલી માહિતી પ્રમાણે એક સ્વતંત્ર વોર્ડમાં આ શંકાસ્પદ દરદીઓને મૂકાયા  હતા. આજે સવારે આ વોર્ડમાં કોરોનાગ્રસ્ત દરદીઓ હોવાની અફવા પ્રસરી હતી તેથી દરદીઓ ગભરાઈ ગયા હતા અને ત્યાર બાદ લાગ જોઈને તેઓ એક પછી એક હોસ્પિટલમાંથી નાસી છૂટયા હતા. મેયો પ્રશાસનના ધ્યાનમાં આ વાત આવતા તેમણે તાબડતોબ પોલીસનો સંપર્ક કર્યો હતો અને દરદીના પરિવારજનોને પણ આ ઘટનાની  માહિતી આપી હતી.

આ ચારેય દરદીઓ તેમના ઘરે હોવાની માહિતી મળતા જ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચારમાંથી ત્રણ દરદીઓ નાગુપરના છે તો એક ચંદ્રપુરનો છે. આ ચારેય દરદીઓને ફરીથી હોસ્પિટલમાં લઈ અવાશે એવી માહિતી હોસ્પિટલે આપી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U5xkb0
via Latest Gujarati News

Post a Comment

0 Comments