જીનીવા, તા.29 માર્ચ 2020, રવિવાર
દુનિયામાં કોરોના વાયરસનો કહેર ઓછો થઈ રહયો નથી.તેના કારણે લોકોમાં ગભરાટ અને કોરોના વાયરસને લઈને જાત જાતની માન્યતાઓ પણ ફેલાઈ રહી છે.
આમાંથી એક માન્યતા એવી છે કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે. જેનુ WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન)દ્વારા ખંડન કરવામાં આ વ્યુ છે. WHOનુ કહેવુ છે કે, આ વાયરસ હવાથી ફેલાતો નથી. તે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં જો કોઈ બીજો વ્યક્તિ આવે તો ફેલાય છે.
આ વાયરસ થૂકના કણોમાંથી ફેલાય છે. આ કણ કફ , છઈંક અને બોલવાથી શરીરની બહાર નિકળે છે.થૂંકના કણો એટલા હલકા નથી હોતા કે હવા સાથે ઉડે. તે બહુ જલ્દી જમીન પર પડી જાય છે.
સંસ્થાનુ કહેવુ છે કે, જો કોઈ પોઝિટિવ વ્યકતિથી નોર્મલ વ્યક્તિ એક મીટરના દાયરામાં ઉભો હોય તો કોરોના વાયરસ શ્વાસોશ્વાસ થકી શકરીરમાં દાખલ થઈ શકે છે. જો કોઈ સપાટી પર કોઈ પોઝિટિવ વ્યક્તિના થૂંકના કણ પડેલા હોય અને તે સપાટી પર કોઈ વ્યક્તિનો હાથ પડે અને આ હાથથી તે પોતાની આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરે તો પણ આ વાયરસ તેના થકી શરીરમાં જઈ શકે છે. માટે સતત હાથ ધોતા રહેવુ જરુરી છે.
FACT: #COVID19 is NOT airborne.
— World Health Organization (WHO) (@WHO) March 28, 2020
The #coronavirus is mainly transmitted through droplets generated when an infected person coughs, sneezes or speaks.
To protect yourself:
-keep 1m distance from others
-disinfect surfaces frequently
-wash/rub your 👐
-avoid touching your 👀👃👄 pic.twitter.com/fpkcpHAJx7
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WNT8Lf
via Latest Gujarati News
0 Comments