અક્ષય કુમારે એક થિયેટરના માલિકને સ્ટાફનો પગાર ચુકવવા માટે ઓફર કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 એપ્રિલ 2020, મંગળવાર

થોડા દિવસો પહેલા મુંબઇના જાણીતા થિયેટરના માલિકે પોતાના સ્ટાફને પગાર ચુકવવા લોન લેવી પડશે તેવી વાત કરી હતી. આ જાણતાં જ અક્ષયે તેને મદદ કરવાની ઓફર કરી હતી.

થિયેટરના ઓનરે અક્ષયના વખાણ કરતા રહ્યું હતું કે, આ વખતે તો આર્ઠિસ્ટની આ મહિનાની સેલરી માટે ફંડ ભેગુ થઇ ગયું છે. મારી મુશ્કેલની જાણ થતાના ત્રણ દિવસમાં ંજ અક્ષયનો ફોન આવ્યો હતો અને આ માટે મદદની જરૂર હોય તો જણાવાનું કહ્યું હતું. અક્ષયે દયા દાખવીને ઓફર કરી છે. પરંતુ અમારે પોતે પણ કોઇ રસ્તો કાઢવો જ પડશે. આ વખતે તો અમે પર્યાપ્ત રકમ ભેગી કરી શક્યા છીએ. હવે હમારું ફોકસ એ છે કે પોતાના કર્માચારીઓની સંખ્યામાં ઘટાડો ન કરીએ તેમજ તેમના પગારમાં પણ ઘટાડો ન કરીએ. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RZpj7j
via Latest Gujarati News

Post a Comment

0 Comments