જાણો... કોણ છે ડૉ. શક્તિ ભાર્ગવ જેણે BJP હેડક્વાર્ટરમાં જીવીએલ નરસિમ્હા પર જૂતુ ફેંક્યુ

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019 ગુરુવાર

દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં ગુરુવારે બપોરે પાર્ટી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર એક શખ્સે જૂતુ ફેંક્યુ. પ્રાથમિક જાણકારી અનુસાર આ શખ્સ કાનપુરનો રહેવાસી છે. જૂતા ફેંકનાર શખ્સ પાસેથી એક વિઝિટીંગ કાર્ડ પણ મળ્યુ છે. આ શખ્સ પત્રકારો માટે ફાળવેલી જગ્યા પર પહેલી લાઈનમાં બેઠો હતો. આનું નામ શક્તિ ભાર્ગવ છે. વ્યવસાયે તે ડૉક્ટર છે. 

જે સમયે જીવીએલ પત્રકારોને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે અચાનક આ શખ્સે જીવીએલ તરફથી જૂતુ ફેંક્યુ. હવે એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે જૂતુ ફેંકનાર શખ્સે કયા કારણોસર જૂતુ ફેંક્યુ. આ શખ્સ પાસેથી એક વિઝિટીંગ કાર્ડ મળ્યુ છે. જે અનુસાર આનું નામ ડૉ. શક્તિ ભાર્ગવ છે. 

જે સમયે જીવીએલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ત્યારે આ ઉઠ્યુ અને જીવીએલ તરફથી જૂતુ ફેંકી દેવાયુ. તાત્કાલિક ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો અને બહાર લઈ ગયા. બાદમાં આ શખ્સની પાસેના આઈપી એક્સટેન્શન પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IGZOns
via Latest Gujarati News

Post a Comment

0 Comments