
મુંબઈ,તા.17 એપ્રિલ 2019, બુધવાર
કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન દેશને સુરક્ષિત રાખી શકી નથી. દેશ સુરિક્ષિત રાખવો હશે તો નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવો, એવી હાકલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતા શાહે આજે સાંગલી જિલ્લાના તાસગાંવમાં યોજવામાં આવેલી પ્રચાર રેલીને સંબોધતાં કરી હતી.
સાંગલી લોકસભા બેઠકના ઉમેદવાર સંજયકાકા પાટિલના પ્રચાર માટે તાસગાંવમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હત. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન રણજીત પાટિલ, પ્રદેશ સેક્રેટરી વિધાનસભા સુરેશ રાળવણકર, સુધીર ગાડગીલ, સુરેશ ખાડે, શિવાજીરાવ નાઈક, અનિલ બાબર વિગેરે મહાનુભાવો આ રેલીમાં હાજર રહ્યા હતા.
મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં દેશનો, દેશના લોકો માટે વિકાસ કામો કર્યા તેમ જ દેશને સુરક્ષિત રાખવાનું પણઁ મહત્ત્વનું કામ પણ કર્યું. આ પહેલા ૧૦ વર્ષ સુધી યુપીએની સરકાર હતી ત્યારે આતંકવાદીઓ દેશમાં ઘૂસીને આતંકવાદી ગતિવિધીઓ ચલાવતા હતા, હુમલા કરતા હતાપણ મોદી સરકારના કાર્યકાળમાં પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કરી નાંખ્યા.
પુલવામામાં ૪૦ જવાનો શહીદ થયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને હુમલા માટે નિર્ણય લેવાની છૂટ આપી અન પુલવામાની ઘટનાના તેરમા દિવસે બાલાકોટના આતંકવાદીઓને અહીં ધ્વસ્ત કર્યા. ભાજપ સરકારનું ઝીરો ટોલરન્સનું આતંકવાદ પ્રત્યેનું ધોરણ છે. ઈંટકા જવાબ પથ્થર સે આવો જવાબ આપવામાં આવશે, એવુંપણ અમિત શાહે કહ્યું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KLkH3j
via Latest Gujarati News
0 Comments