જામીન રદ થાય તો પણ મને ચૂંટણી લડતા કોઇ રોખી ન શકે:પ્રજ્ઞાાસિંહ


મુંબઇ તા. 24 એપ્રિલ 2019, બુધવાર

માલેગાવ બ્લાસ્ટની આરોપી અને ભોપાલથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતી સાધ્વી પ્રજ્ઞાાસિંહે જણાવ્યું હતું કે મારી જામીન રદ થાય તો પણ મને ચૂંટણી લડતા  કોઇ રોકી નહીં શકે. કારણ કે જામીન રદ થાય એ આધારે ઉમેદવારને ચૂંટણી લડતા રોકી ન શકાય.

મહારાષ્ટ્રના માલેગાંવમાં ૨૦૦૮માં કરવામાં આવેલા બ્લાસ્ટના આરોપી પ્રજ્ઞાાસિંહ ઠાકુર સામે યુ.એ.પી.એ. (અન લોફુલ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) એકટ) હેટળ ગુનો નોંધાવ્યો છે. એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી)ની સ્પેશિયલ કોર્ટ સમક્ષ સાધ્વીએ ગઇ  કાલે આપેલા જવાબમાં જામીન બાબત કહ્યું હતું.

ભાજપએ સાધ્વીને ભોપાલમાંથી ચૂંટણીમાં ઉતાર્યા બાદ માલેગાવ બ્લાસ્ટના પીડીત સૈયદ નિસાર અહમદના પિતાએ સાધ્વીની જામીન રદ કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. આ સાથે જ તેને ચૂંટણી લડતી અટકાવવામાં આવે એવી પણ અરજ ગુજારી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DtDfPp
via Latest Gujarati News

Post a Comment

0 Comments