(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.2 એપ્રિલ 2019,મંગળવાર
વર્ષ દરમિયાન થયેલાં ગુર્જર આંદોલ, અતિવૃષ્ટિ, નૈસર્ગિક સંકટ બાદ પણ પશ્ચિમ રેલવે લાંબા અંરની ટ્રેનો સમયસર દોડાવીને દેશના તમામ ઝોનમાં ૨૦૧૮-૧૯ આ આર્થિક વર્ષ દરમિયાન પશ્ચિમ રેલવેની નિયમિતતા ૯૧.૫ ટકા સરેરાશ મેળવીને પહેલી આવી છે, જ્યારે મધ્ય રેલવેની ટ્રેનો નિયમિતતા પાળવામાં સરેરાશ ૮૬.૪૨ ટકા મેળવીને બીજા ક્રમાંક પર રહી છે.
ક્યારે ઉત્તરમાં ધુમ્મસની ચાદર, ચેન પુલીંગ તો ક્યારે પાટામાં તિરાડ પડવાને જેવા વિવિદ કારણોને લીધે ટ્રેનો અનેક વખત મોડી પડતી હોય છે. જેના લીધે ટ્રેનની નિયમિતતા સુધારવા માટે રેલવે પ્રધાન પીયૂષ ગોયલે તમામ ઝોનને સરેરાશ ૯૦ ટકા નિયમિતતાની આગળ જવાનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ફક્ત પશ્ચિમ રેલવેએ જ તમામ ઝોનમાં બાજી મારીને પંક્ચ્યુઆલીટી સરેરાશમાં ૯૧ ટકા મેળવીને પહેલાં ક્રમાકે બાજી મારી છે.
મધ્ય રેલવેમાં ૬૫૨ લાંબા અંરની ટ્રેનો દોડાવાય છે, જેમાં ૪૩૭ મેલ.એક્સપ્રેસનો સમાવેશ થાય છે. મધ્ય રેલવેની નિયમિતતા ૮૬.૪ ટકા પર રહીને બીજા ક્રમાંકે આવી છે. ગયા વખત મધ્ય રેલવેની નિયમિતતા સરેરશ ૯૦ ટકાની આસપાસ હતી. જ્યારે પશ્ચિમ રેલવેની નિયમિતતા ગયા આર્થિક વર્ષર્માં સરેરાશ ૯૧.૪ ટકા હતી.
દેશભરમાં રેલવે ૧૭ ઝોનમાં વહેચાયેલું છે. જેમાં ઉત્તર રેલવેનો ઝોન સૌથી મોટો છે. પશ્ચિમ રેલવેના છ ડિવિઝન હોવાથી તેમાં મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ, ભાવનગરનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં કુલ ૬૫૨ લાબા અંતરની ટ્રેનો દોડાવાય છે. જેમાં ૪૩૭ મેલ/એક્સપ્રેસ હોવાનું જણાઈ આવ્યું હતુ. પશ્ચિમ રેલવે કુલ મળીને ૫૧૦ લાંબા અંતરની ટ્રેન, જેમાં ૨૧૦ મેલ/એક્સપ્રેસ અને ૩૦૦ પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.
એક ઝોનથી બીજા ઝોનમાં જતાં ઇન્ટરચેન્જીંગ થતાં યોગ્ય સમન્વય, વેગ પર બંધન હટાવવું, ટ્રેક, સિગ્નલ અને ઓવરહેડ વાયરની તપાસ વગેરે મેઇન્ટેઇનન્સ ઉપાય યોજનાને લીધે સફળતા મેળવી હોવાનું પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OGf44Q
via Latest Gujarati News
0 Comments