સલમાન ખાન અને અર્જુન કપૂર રૂપેરી પડદે સાથે દેખાય તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.9 મે 2019, ગુરુવાર

સલમાન  ખાન કોઇનાથી નારાજ થાય તો જલદી માફ કરતો નથી. પરંતુ હવે તે વધુ વ્યવસાયિક બની રહ્યો છે, અને પોતાની નારાજગી  કામમાં અવરોધરૂપ થવા દેતો નથી. હવે એવી ખબર આવી છે કે તે અર્જુન કપૂર સાથે એક ફિલ્મમાં કામ કરવાનો છે. પરંતુ હવે સલમાન બોનીની 'નો એન્ટ્રી'ની  સિકવલમાં કામ કરવા રાજી થઇ ગયો છે. જોકે આ વાતની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. 

અર્જુન કપૂર અને સલમાન ખાનની ભાભી મલાયકા સાથે પ્રેમ સંબંધ હોવાથી સલમાન અર્જુનથી નારાજ હતો. ભૂતકાળમાં  બોનીએ પણ અર્જુનને મલયકા સાથ ેસંબંધો તોડી નાખવાની સલાહ આપી હતી. પરંતુ મલાયકાના પ્રેમમાં પાગલ અર્જુને કોઇની વાત કાને ધરી નહીં. આ સંબંધથી તેના અને સલમાન વચ્ચે પણ દુશ્મની થઇ ગઇ. 

બોની કપૂર પોતાની ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિકવલ માટે સલમાનને મનાવી રહ્યો હતો. પરંતુ સલમાન જવાબ નહોતો આપતો. બોનીને આ ફિલ્મ સલમાન વગર બનાવવી નહોતી. તેણે સલમાન સાથે કેટલીય વાર વાત કરી હતી. પરંતુ હવે લાગે છે કે, સલમાન બોનીની વિનંતીઓથી  પીગળી ગયો છે અન ેઅર્જુન કપૂર સાથે કામ કરવા રાજી થઇ ગયો છે. આ ફિલ્મની કોમેડીએ દર્શકોને મનોરંજન કરાવ્યું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WxnGxK
via Latest Gujarati News

Post a Comment

0 Comments