અમદાવાદ, તા. 18 મે 2019, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શાસનકાળમાં ગઇ કાલે નવી દિલ્હીમાં સૌ પ્રથમ વખત અમિત શાહ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ એક તબક્કે 2014માં યોજાયેલી લોતસભાની ચૂંટણીમાં સટ્ટા બજાર અંગેનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેઓએ એવું કહ્યું હતું કે 17મી મે ના રોજ મોદીની હાજરીથી સત્તાખોરોને અબજો ખરબોનું નુકશાન થયું છે.
સટ્ટોડિયોએ ગત ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળે તેના પર અબજો રૂપિયાનો સટ્ટો રમ્યા હતા પરંતુ પરિણામ તદ્દન જુદુ આવ્યું હતું અને ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. જેને લઇને સટ્ટોડિયાઓને મોટું આર્થિક નુકશાન થયું હતું.
વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ દ્વારા ચૂંટણીમાં સટ્ટો રમાતો હોવાની વાત કરવી તેમજ સટ્ટા બજારના મતે ક્યાં પક્ષને કેટલી બેઠક મળશે તેની જાણકારી રાખવી તે બાબતને ભારતના કરોડો લોકો ખુબ ગંભીર રીતે લઇ રહ્યાં છે.
વડાપ્રધાનના સટ્ટાબજારના નિવેદનને સોશિયલ મીડિયામાં લોકોએ ટીકાનો વરસાદ વરસાવ્યો છે. જેમાં લોકો એવું જણાવે છે કે મોદીને 2014ની ચૂંટણીની સટ્ટાબજારના ભાવની ખબર હતી અને તેની જાણકારી પાંચ વર્ષ પછી આપી રહ્યાં છે પરંતુ 2019ની ચૂંટણી હાલમાં જે ચાલી રહીં છે તેના માટે સટ્ટા બજાર ક્યાં પક્ષને કેટલી બેઠક મળશે કે કેન્દ્રમાં કોની સરકાર રચાશે તેના શું ભાવ ચાલી રહ્યાં છે તેની વિગત કેમ નથી આપી રહ્યાં?
શું તેમને ડર છે આ વખતે સટ્ટા બજાર ખોટુ પડી શકે છે. બીજી બાજુ સમાજના એજ્યુકેટેડ લોકો જણાવે છે કે ભારતમાં સટ્ટો રમવો ગેરકાયદેસર છે જો ખુદ વડાપ્રધાનને સટ્ટા બજાર અંગે જાણકારી મળતી હોય તો તેઓએ પાંચ વર્ષ દરમિયાન આવા સટ્ટોડિયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરી તે પણ મોટો પ્રશ્ન છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YEboEx
via Latest Gujarati News
0 Comments