માખણ ખાવું કે ઘી ? જાણો સ્વાસ્થ્ય માટે શું છે સારું


અમદાવાદ, 20 મે 2019, સોમવાર

ઘી અને માખણની વાત આવે એટલે સૌથી પહેલો પ્રશ્ન દરેકના મનમાં થાય કે ઘી ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે માખણ. જો કે આ પ્રશ્નનો સાચો જવાબ આજ સુધી લોકો મળ્યો નહીં હોય. એક્સપર્ટનું માનીએ તો આ બંને વસ્તુ સ્વાદની દ્રષ્ટિએ અલગ અલગ મહત્વ ધરાવે છે. આ વસ્તુઓનો ઉપયોગ વાનગીના સ્વાદને સંપૂર્ણ રીતે બદલી શકે છે. આજે બંનેની સરખામણી કરી અને જાણીએ કે બંનેમાંથી કઈ વસ્તુ ખાવી વધારે સારી છે. 

ઘી માખણનું જ એક રૂપ છે જેને વર્ષો પહેલા ઘરે બનાવવાની શરૂઆત કરવામાં આવી. જો કે ઘી એક પવિત્ર સામગ્રી છે એટલે જ મંદિરમાં દીવો પણ ઘીથી કરવામાં આવે છે અને અન્ય પૂજાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. હિંદૂઓમાં કોઈપણ પૂજા ઘી વિના પૂરી થતી નથી. ભારતીય ભોજનમાં પણ મુગલઈની વાત આવે તો તેમાં ઘીનો જ ઉપયોગ થાય છે.  અનેક સર્વેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઘી સ્વાસ્થ્ય માટે સારું નથી. જ્યારે કેટલાક નિષ્ણાંતો ઘીને સુપરફૂડ માને છે. 

માખણ કે બટરની વાત કરીએ તો તે પ્રોસેસ્ડ હોય છે અને તેમાં સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે. માખણ જો મર્યાદિત પ્રમાણમાં લેવામાં ન આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે. 6 ચમચીથી વધારે બટર લેવું સ્વાસ્થ્ય માટે સારું નથી. કેટલાક ઘરમાં સફેદ માખણનો ઉપયોગ થાય છે જે મલાઈને ફેંટી અને કાઢવામાં આવે છે. આવા માખણમાં સોલ્ટ નથી હોતું. આ માખણ તમે રોજ 1 ચમચી ખાઈ શકો છોો 

ઘીમાં માખણથી વધારે ફેટ હોય છે. એક મોટી ચમચી ઘીની હોય તો તેમાં 120 કેલરી હોય છે અને 1 મોટી ચમચી માખણમાં 102 કેલેરી. ઘીમાં એન્ટીઓક્સિડેંટ્સ અને ઓમેગા 3 ફૈટી એસિડ્સ હોય છે જે હાડકાને મજબૂત કરે છે અને ત્વચામાં ચમક વધારે છે. બટરમાં વિટામિન એ અને કોન્જુગેટેડ લિનોલિઈક એસિડ હોય છે જે અનેક પ્રકારના કેન્સરથી બચાવે છે. જો તમે કેલેરી અને ફેટની સરખામણી કરો તો બંને એકસમાન જ છે. બંનેની ન્યૂટ્રિશનલ વેલ્યૂ લગભગ બરાબર છે. પરંતુ જો તમે લૈક્ટોઝ ઈન્ટોલરેંટ હોય અને હાઈ ટેમ્પ્રેચર પર પકાવેલું ભોજન લેતા હોય તો ઘી ખાવું વધારે સારું રહે છે. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WVzUQT
via Latest Gujarati News

Post a Comment

0 Comments