નવી દિલ્હી, તા. 18. મે. 2019 શનિવાર
લોકસભાની ચૂંટણી લગભગ પુરી જ થવા આવી છે ત્યારે ચૂંટણી પંચમાં અધિકારીઓ વચ્ચેના મતભેદો જાહેરમાં આવી ગયા છે.
આચાર સંહિતાને લગતા ચૂંટણી પંચના નિર્ણયો પર અસંમતિ દર્શાવનાર ચૂંટણી અધિકારી અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાને પત્ર લખીને માંગણી કરી છે કે, અધિકારીઓ વચ્ચેના મતભેદોને ઓન રેકોર્ડ રાખવામાં આવે.
અશોક લવાસા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર બનવા માટેની લાઈનમાં છે.લવાસા પીએમ મોદી અને અમિત શાહને ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતાના ભંગ બદલ અપાયેલી ક્લીન ચીટના વિરોધમાં રહ્યા છે.
દરમિયાન ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યુ હતુ કે, ચૂંટણી પંચમાં ત્રણ સભ્ય હોય છે અને તેઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે.દરેક ચીજનો એક સમય હોય છે.
કોંગ્રેસે જોકે આ વિવાદમાં ચૂંટણી પંચ પર સીધે સીધો મોદીના પીઠ્ઠુ હોવાનો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસ પ્રવકતા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, લવાસાના પત્રથી સ્પષ્ટ છે કે, બંને અધિકારીઓ વચ્ચેના મતભેદો રેકોર્ડ કરવા માટે ચૂંટણી પંચ તૈયાર નથી.
લવાસાએ તો એવુ પણ કહ્યુ છે કે, જ્યાં સુધી ચૂંટણી પંચના સભ્યો વચ્ચેની બેઠકમાં સર્જાતા મતભેદોને રેકોર્ડ પર લેવામાં નહી આવે ત્યાં સુધી હું ચૂંટણી પંચની બેઠકમાં ભાગ નહી લઉં.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચને પોતાના અધિકારીનો યોગ્ય ઉપયોગ નહી કરવા બદલ ફટકાર લગાવેલી છે.કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ દ્વારા પંચ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદોનો વહેલી તકે નિકાલ નહી કરવા બદલ ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટે ટીકા પણ કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HATnA8
via Latest Gujarati News
0 Comments