
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 જૂન 2019, બુધવાર
હજી તો રાજકપૂરના ચેંબુરના સ્ટુડિયોનો સોદો થયાની વાત ભૂલાઇ નથી, ત્યાં કમાલિસ્તાન સ્ટુડિયો વેંચાઇ ગયાની વાત આવી છે. જોકે આ સ્ટુડિયોનો સોદો તો ૨૦૧૦માં જ થઇ ગયો હોવાનું તેના મેનેજરે જણાવ્યું હતું.
મુંબઇના જોગેશ્વરી પરામાં ૧૫ એકરની જમીન પર ફેલાયેલો આ સ્ડુડિયો વેચાઇ ગયો છે. આ જગ્યાને રિડેવલપ કરવા માટેનો પ્રોજેક્ટ લગભગ એકવીસ હજાર કરોડ રૂપિયાનો છે. કમાલ અમરોગીએ ૧૯૫૮માં આ સ્ટુડિયોની સ્થાપના કરી હતી. જેમા મહલ, ંપાકિઝા. અમર અકબર એન્થની, કાલિયા, રઝિયા સુલતાન ઉપરાંત અન્ય ફિલ્મોના શૂટિંગ થયા હતા. જોકે આ સ્ટુડિયોની ડીલ કેટલા રૂપિયામાં થઇ તે જાણવા મળ્યું નથી.
કમાલિસ્તાન સ્ટુડિયોના મેનેજરે જણાવ્યું હતું કે, આ સ્ટુડિયો ૨૦૧૦માં વેેંચાઇ ગયો હતોે. બેગલુરૂની રિયાલિટી કંપની એક પાર્ટનર સાથે મળીને ખરીદયો છે. અમે સાંભળ્યું છે કે, આ સ્થાને એક બહુ મોટો આઇટી પાર્ક બનાવામાં આવશે. જોકે હજી સુધી આ જમીન પર કામ શરૂ કરવામાંઆવ્યું નથી. તેમજ અમને પણ આ સ્ટુડિયોમાં કોઇ શૂટિંગ નહીં કરવાનો આદેશ મળ્યો નથી. જોકે એક વાત છે કે, હવે ગમે ત્યારે આ સ્ટુડિયોમાં કામ બંધ કરવામાં આવશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZnvuDu
via Latest Gujarati News
0 Comments