નવી દિલ્હી, તા. 21 જુલાઇ 2019, રવિવાર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની વયે હાર્ટએટેક આવવાથી શનિવારે અવસાન થયું. આ દુ:ખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
PM મોદી :
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું, 'શીલા દીક્ષિતજીના અવસાનથી આઘાત લાગ્યો. તેઓ મિલનસાર અને પ્રભાવી વ્યક્તિત્વવાળા હતા. એમણે દિલ્હીના વિકાસમાં ઉલ્લેખનીય કાર્યો કર્યા. એમના પરિવાર અને સમર્થકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂં છું'
Deeply saddened by the demise of Sheila Dikshit Ji. Blessed with a warm and affable personality, she made a noteworthy contribution to Delhi’s development. Condolences to her family and supporters. Om Shanti. pic.twitter.com/jERrvJlQ4X
— Narendra Modi (@narendramodi) July 20, 2019
રાહુલ ગાંધી :
રાહુલ ગાંધીએ શીલા દીક્ષિતના અવસાન પર ટ્વીટ કરીને લખ્યું, 'મને દુ:ખ થયું સાંભળીને કે, કોંગ્રેસની પ્રેમાળ દિકરીનું અવસાન થયું છે. એમની સાથે મારે નજીકના સંબંધ હતા. ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિતએ નિસ્વાર્થ ભાવથી કામ કર્યું. આ દુ:ખના પ્રસંગે એમના પરિવાર અને દિલ્હીની જનતા પ્રત્યે મારી સંવેદના છે.'
I’m devastated to hear about the passing away of Sheila Dikshit Ji, a beloved daughter of the Congress Party, with whom I shared a close personal bond.
— Rahul Gandhi (@RahulGandhi) July 20, 2019
My condolences to her family & the citizens of Delhi, whom she served selflessly as a 3 term CM, in this time of great grief.
રામનાથ કોવિંદ:
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને એક વરિષ્ઠ રાજનેતા શીલા દીક્ષિતના અવસાન અંગે જાણીને દુ:ખ થયું. એમનો કાર્યકાળ રાજધાની દિલ્હી માટે મહત્વપૂર્ણ પરિવર્તન વાળો રહ્યો હતા, જેના માટે શીલા દીક્ષિત ક્યારેય વીસરશે નહીં. તેમના પરિવાર અને સાથીઓ પ્રત્યે મારી સંવેદના છે.
दिल्ली की पूर्व मुख्यमंत्री और एक वरिष्ठ राजनेता श्रीमती शीला दीक्षित के निधन के बारे में जानकर दुख हुआ। उनका कार्यकाल राजधानी दिल्ली के लिए महत्वपूर्ण परिवर्तन का दौर था जिसके लिए उन्हें याद किया जाएगा। उनके परिवार व सहयोगियों के प्रति मेरी शोक-संवेदनाएं — राष्ट्रपति कोविन्द
— President of India (@rashtrapatibhvn) July 20, 2019
અમિત શાહ :
દિલ્હીના પૂર્વ મુખ્યંત્રી શીલા દીક્ષિતજીના અવસાનથી હું ખુબ દુ:ખી થયો છું. હું એમના પરિવાર અને સમર્થકો પ્રતી મારી સંવેદના વ્યક્ત કરૂં છું. ઈશ્વર દુ:ખના પ્રસંગે એમના પરિવારને શક્તિ આપે આપે અને એમની આત્માને શાંતિ પ્રદાન કરે.
दिल्ली की पूर्व मुख्यमंत्री श्रीमती शीला दीक्षित जी के निधन से अत्यंत दुखी हूँ। मैं उनके परिजनों और समर्थकों के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ। ईश्वर दु:ख की इस घड़ी में उनके परिवार को शक्ति दे और दिवंगत आत्मा को चिर शांति प्रदान करे ।
— Amit Shah (@AmitShah) July 20, 2019
ॐ शांति शांति शांति
મનમોહન સિંહ :
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે શીલા દીક્ષિતના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું. આ સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. દેશએ દિગ્ગજ કોંગ્રેસ નેતાને ગુમાવી દીધા છે. દિલ્હીની જનતા એમને વિકાસ માટે હંમેશા યાદ કરશે.
Former PM Manmohan Singh: I'm shocked to hear the sudden passing away of Smt #ShielaDixit. In her death the country has lost a dedicated Congress leader of the masses. People of Delhi will always remember her contribution to Delhi's development during her tenure as CM for 3 terms pic.twitter.com/O7b2Byg8sl
— ANI (@ANI) July 20, 2019
કેજરીવાલ :
શીલા દીક્ષિતના અવસાન અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું, 'શીલા દીક્ષિતજીના અવસાનના સમાચાર મળ્યા. શીલાજીનું જવું એ દિલ્હી માટે બહુ મોટું નુકશાન છે. એમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. એમના પરિવાર પ્રત્યે મારી હ્રદયથી સંવેદના છે.'
Just now got to know about the extremely terrible news about the passing away of Mrs Sheila Dikshit ji. It is a huge loss for Delhi and her contribution will always be remembered. My heartfelt condolences to her family members. May her soul rest in peace
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 20, 2019
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GmxKDD
via Latest Gujarati News
0 Comments