લખનઉ, તા. 22 જુલાઇ 2019, સોમવાર
ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે ઝાંસીમાં ચાર જણની ધરપકડ કરીને તેમના કબજામાંથી ઢગલાબંધ વિસ્ફોટકો કબજે કર્યા હતા. આ વિસ્ફોટકો ક્યાંથી આવ્યા અને એના દ્વારા આતંકવાદી હુમલો તો થવાનો નહોતોને એની તપાસ ચાલુ છે. ચારે જણની આકરી પૂછપછ કરાઇ રહી હતી.
એટીએસના વડા અસીમ વરુણે આપેલી માહિતી મુજબ ઝાંસીમાં ચાર જણની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. એટીએસને અગાઉથી મળેલી બાતમીના આધારે આ ચાર જણની ધરપકડ કરાઇ હતી. ચરણ સિંઘ, દીનબંધુ, પુષ્પેન્દ્ર ઝા અને સીતારામ પાલ પાસેથી પોલીસે વિસ્ફોટકોનો ખાસ્સો મોટો પુરવઠો કબજે કર્યો હતો.
તેમણે મિડિયાને કહ્યું કે ચરણ સિંઘ અગાઉ પણ ગેરકાયદે વિસ્ફોટકો પોતાના કબજામાં રાખવા માટે પકડાઇ ચૂક્યો છે. ચારે જણની આકરી પૂછપરછ ચાલુ છે. ખાસ તો પોલીસ એ જાણવા માગે છે કે આ વિસ્ફોટક પુરવઠો નક્સલવાદીઓ માટે કે આતંકવાદી હુમલા માટે નથી ને ?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JKXSuh
via Latest Gujarati News
0 Comments