મકરસંક્રાતિએ આશિકો કા મેલામાં કેમ સેંકડો પ્રેમીઓ ઉમટી પડયા ?


બાંદા,16 જાન્યુઆરી,2020,ગુરુવાર 

ભારતમાં જુદા જુદા સ્થળે ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાઓનું આયોજન થાય છે પરંતુ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના એક સ્થળે  મેળો ભરાય છે  જેને આશિકો કા મેલાના નામથી ઓળખવામાં આવે છે. આ મેળો આજકાલ કરતા ૧૩૫ વર્ષથી દર વર્ષે ભરાય છે. બાંદાની નજીક ભુરાગઢ કિલ્લાએ આશિકાના મેલા માટે લોકો એકઠા થાય છે. પ્રેમ માટે પોતાના પ્રાણોનું બલીદાન આપનારા નટ મહાબલી મંદિરમાં મકરસંક્રાંતિએ મેળામાં ભાગ લેનારા લોકોનો ઉત્સાહ સમાતો નથી. હજારોની સંખ્યામાં પ્રેમી જોડકાઓ નટ મહાબલી મંદિરમાં માનતા અને આશિર્વાદ માટે આવે છે. સ્થાનિક લોકો તેને પ્રેમનું મંદિર પણ કહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આશિકાઓના મેળાનો પ્રચાર વધવાથી દૂર દૂરથી શ્રધ્ધાળુંઓ આવે છે. 


સ્થાનિક લોકોનું માનવું છે કે ૬૦૦ વર્ષ પહેલા મહોબાના અર્જુનસિંહ ભુરાગઢ આ કિલ્લાના કિલેદાર હતા. આ કિલ્લામાં જ મધ્યપ્રદેશના સરબઇ ગામનો નટ જાતીનો યુવાન બીરન કિલ્લામાં નાચવા ગાવાની નોકરી કરતો હતો. કિલ્લામાં પોતાની ફરજ દરમિયાન બીરન સાથે રાજાની કુંવરીને પ્રેમ થયો હતો. બીરન મહા તપસ્વી અને બ્રહ્મચારી હતો. કુંવરીના પ્રેમ અંગે રાજાને જાણ થતા તે ખૂબજ ક્રોધિત થયા તેમ છતાં સમજદારીથી કામ લીધું. જો બીરન કાચી રસ્સી વડે નદી પાર કરીને બાંબેશ્વર પહાડના કિલ્લા પર પહોંચી જાય તો તેની સાથે પ્રેમ સંબંધ માનવા અને લગ્ન કરી આપવાની શરત રાખી હતી.


મક્ર્સંક્રાંતિનો એ દિવસ હતો જયારે બીરન કાચા દોરડા વડે નદી પાર કરી રહયો હતો. કાચું દોરડું પરંતુ બિરનનો પ્રેમ પાકો હતો. રાજાના દરબારીઓને શંકા ગઇ કે બીરન નદી પાર કરી લેશે.આથી રાજાને ચડામણી શરુ કરી કે જો એમ થશે તો કુંવરીના લગ્ન કરી આપવા પડશે. રાજાએ દરબારીઓની વાતમાં આવીને ફરસીથી દોરડું કાપી નાખતા બીરનનું મોત થયું હતું. કિલ્લામાંથી સમગ્ર ઘટના જોઇ રહેલી કુંવરીએ પણ બારીમાંથી કુદીને જીવ આપી દીધો હતો. કાળક્રમે આ બંને પ્રેમીઓની યાદમાં મંદિર તૈયાર કરવામાં આવ્યું છે જેને પ્યાર કા મંદિર પણ કહેવામાં આવે છે.દર મકરસંક્રાતિએ પ્રેમી જોડાઓ આ સ્થળે ઉમટી પડે છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R0PCKd
via Latest Gujarati News

Post a Comment

0 Comments