સાંગલીના ઇસ્લામપુરામાં કોરોના વાઇરસના વધુ 12 દરદી મળી આવતા ત્યાં સંખ્યા 23 ઉપર પહોંંચી છે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.27 માર્ચ 2020, શુક્રવાર

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ચેપ દિવસે દિવસે વધી રહ્યો છે સાંગલી જિલ્લાના ઇસ્લામપૂરમાં આજે એક જ પરિવારના ૧૨ જણ કોરોનાવાઇરસના દરદી મળી આવ્યા આથી ત્યાં કોરોના વાઇરસના ૨૩ દરદી થયા છે. પરિણામે સાંગલી જિલ્લામાં ચિંતાનું વાતાવરણ ફેલાયેલું છે. એટલું જ નહિં આરોગ્ય વિભાગ પણ હચમચી ગયું છે.

ઇસ્લામપુરામાં રહેતું આ પરિવાર સાઉદી અરેબિયાથી પ્રવાસ કરીને આવ્યું હતું એવું  કહેવાય છે.

થોડાક દિવસ પૂર્વે એટલે ૨૫ માર્ચના રોજ પણ એખ જ પરિવારના ચાર જણ કોરોના વાઇરસના દરદી મળી આવ્યા હતા.

આ વિસ્તારના એન.સી.પી.ના નેતા તથા વિધાનસભ્ય તથા પ્રધાન જયંત પાટીલે જણાવ્યું હતું કે સરકારે સૂચવેલા તમામ ઉાય યોજનાનું યોગ્ય અમલ કરો. ઇસ્લામપુરમાં રાજ્ય શાસન ખાસ કાળજી લઇ રહી છે. આ શહેરના રહેવાસીઓને જીવન જરૂરિયાત વસ્તુલેવા ઘરની બહાર જવું હોય તો એક જ વ્યક્તિને જવા મળશે. તે વ્યક્તિના હાથ પર સ્ટેમ્પ મારવામાં આવશે. એવા કડક પગલા લેવામાં આવ્યા છે, એમ જયંત પાટીલે જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WNmN7b
via Latest Gujarati News

Post a Comment

0 Comments