ભોપાલ, તા.11 માર્ચ 2020, બુધવાર
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથેનો 18 વર્ષ જુનો સબંધ તોડી નાંખ્યો છે. તેમના આ નિર્ણય બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પર પણ સંકટ આવી ગયુ છે.
કોંગ્રેસેથી નાખુશ જ્યોતિરાદિત્ય સિંધિયાએ એવુ કારણ આપ્યુ છે કે, કોંગ્રેસમાં રહીને લોકોની સેવા થઈ શકતી નથી.
જોકે કોંગ્રેસે તેમના આરોપોનો જવાબ આપીને છેલ્લા 18 વર્ષમાં પાર્ટીએ તેમન શું આપ્યુ છે તેનુ લિસ્ટ જાહેર કર્યુ છે.
17 વર્ષ સાંસદ
બે વખત કેન્દ્રીય મંત્રી
રાષ્ટ્રિય મહાસિચવ
યુપીના પ્રભારી
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય
ચૂંટણી અભિયાનના પ્રમુખ
50 ટેકેદારોને ટિકિટ અને 9 ટેકેદારોને મંત્રીપદ
આમ કોંગ્રેસે એવુ સાબિત કરવાની કોશિશ કરી છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાને પાર્ટીમાં મહત્વ નહી મળતુ હોવાની જે વાત કરી છે તે ખોટી છે.
કોંગ્રેસે સવાલ પૂછ્યો છે કે, આટલુ બધુ કોંગ્રેસમાં મળવા છતા જ્યોતિરાદિત્ય સિંધિયા કેમ મોદી અને શાહની શરણમાં જતા રહ્યા.
કોંગ્રેસે ટ્વિટર પર એક તસવીર શેર કરીને સિંધિયાને વિશ્વાસ તોડનારા ગણાવ્યા છે.કોંગ્રેસના કેટલાક નેતાઓ જેમ કે અધીર રંજન ચૌધરીએ તો સિંધિયાને ગદ્દાર પણ ઠેરવી દીધા છે.
सिंधिया जी की 18 साल की राजनीति में कांग्रेस ने :
— MP Congress (@INCMP) March 11, 2020
- 17 साल सांसद बनाया
- 2 बार केंद्रीय मंत्री बनाया
- मुख्य सचेतक बनाया
- राष्ट्रीय महासचिव बनाया
- यूपी का प्रभारी बनाया
- कार्यसमिति सदस्य बनाया
- चुनाव अभियान प्रमुख बनाया
- 50+ टिकट, 9 मंत्री दिये
फिर भी मोदी-शाह की शरण में ? pic.twitter.com/bABGfFuYc5
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38FQycv
via Latest Gujarati News
0 Comments