કોરોનાઃ કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપનાર પત્રકાર સામે પોલીસ કેસ

ભોપાલ, તા.28 માર્ચ 2020, શનિવાર

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયેલા પત્રકાર સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે.

આ જ કોન્ફન્સમાં કમલનાથે સીએમ પદેથી રાજીનામુ આપ્યુ હતુ.જેમાં પત્રકાર હાજર હતા. તેમની પુત્રી બ્રિટનથી પાછી ફરી હતી અને તેને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. આ પત્રકાર એ જ દરમિયાન જ પ્રેસ કોન્ફન્સમાં હાજર રહ્યા હતા.

એ પછી પત્રકાર અને તેમની પુત્રીને કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતુ. શુક્રવારે સાંજે પોલીસે કાયદાનુ ઉલ્લંઘન તેમજ રોગનુ સંક્રમણ ફેલાવવાના આરોપ સર તેમજ બેદરકારી દાખવવા બદલ પત્રકાર સામે કેસ કર્યો હતો.

આ પત્રકારની પુત્રી 18 માર્ચે લંડનથી પાછી ફરી હતી. તેના બે દિવસ બાદ પત્રકારે પ્રેસ કોન્ફન્સમાં હાજરી આપી હતી. જેના પગલે પત્રકારનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

જેના પગલે પ્રેસ કોન્ફન્સમાં હાજરી આપનાર બીજા મીડિયા કર્મીઓમાં પણ ભયની લાગણી ફેલાઈ હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dCiFgs
via Latest Gujarati News

Post a Comment

0 Comments