(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોનાના રોગચાળામાં ફસાયેલા નાગરિકો માટે સારા સમાચાર છે કે રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે. હવે કોરોનાગ્રસ્ત દરદીઓનું સાજા થવાનું પ્રમાણ વધી ગયું છે. રાજ્યમાં દરરોજ ૧૩ ટકા લોકો સાજા થઇને ઘરે જઇ રહ્યા છે. માત્ર એક જ ટકા દરદીને સારવારની વધુ જરૂર છે. એવી માહિતી રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપી હતી.
રાજ્યમાં બુધવારે ૧૫૦ દરદીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. ગત થોડાક દિવસથી રાજ્યમાં દરદી સાજા થઇ રહ્યા છે. અને નવા દરદી નોંધાવાનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનો દાવો રાજેશ ટોપેએ કર્યો હતો.
ખાસ તો સાજા થઇને ઘરે જવામાં ૯૧ થી ૧૦૦ વર્ષની વચ્ચેના નાગરિકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૮૩ ટકા લોકોમાં કોરોનાના લક્ષણો નથી. જ્યારે ૧૭ ટકા લોકોમાં લક્ષણ સૌમ્ય સ્વરૂપના છે. રાજ્યમાં કોરોનાને લીધે થનારો મૃત્યુ દર ૭ પરથી ઘટીને ૫ ઉપર આવ્યો છે. કોરોનાને લીધે થનારા મૃત્યુના અભ્યાસ માટે બે સમિતિની સ્થાપના કરી હતી. એવી માહિતી રાજેશ ટોપેએ આપી હતી.
રાજ્યમાં શરૂઆતમાં કુલ ૧૪ હોટ સ્પોટ હતા. હવે સંખ્યા ઘટીને પાંચ પર આવી છે. મુંબઇ મહાનગર પરિસર, પુણે, મહાનગર પરિસર, નાગપુર અને નાશિક એમ હોટસ્પોટ છે. પરંતુ માલેગાંવ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. રાજ્યમાં દરરોજ ૭ હજાર કોરોનાની ચકાસણી કરાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cHKgeJ
via Latest Gujarati News
0 Comments