નવી દિલ્હી, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનના કારણે વીડિયો કોન્ફરન્સિંગ થકી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકનુ આયોજન કર્યુ હતુ.
આ દરમિયાન મોદી સરકારની ટીકા કરતા સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, 21 દિવસનુ લોકડાઉન જરુરી હતુ પણ કોઈ જાતના પ્લાનિંગ વગર તેને લાગુ કરાયુ છે. જેના કારણે લાખો મજૂરોને યાતના ભોગવવી પડી છે.
સોનિયા ગાંધીએ માંગણી કરતા કહ્યુ છે કે, સરકાર ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મીઓને સુરક્ષા માટેના ઉપકરણો પુરા પાડે. સરકાર જાહેર કરે કે, કોરોના માટે કેટલી હોસ્પિટલોમાં કેટલા બેડ છે, ક્વોરેન્ટાઈન અને લેબ ટેસ્ટિંગની સુવિધાઓ તેમજ કોરોનાની સારવાર માટે કયા પ્રકારના મેડિકલ ઉપકરણોની કેટલી સંખ્યા હાલમાં છે.
તેમણે સરકારને અપીલ કરી હતી કે, ખેડૂતો પાકની કાપણી કરી શકે તે માટે સરકાર ખેડૂતો પરના પ્રતિબંધ હટાવે તેમજ મધ્યમવર્ગને રાહત આપવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરે.
We meet today in midst of an unprecedented health and humanitarian crisis. The magnitude of the challenge before us is daunting but our resolve to overcome it must be greater: Congress Interim President Sonia Gandhi at Congress Working Committee meeting (via video conferencing) pic.twitter.com/yhl6sycoP1
— ANI (@ANI) April 2, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aCiorX
via Latest Gujarati News
0 Comments