ધારાવીમાં હાહાકાર : એક જ દિવસમાં કોરોનાના નવા ૪૨ દરદી નોંધાયા અને ચારના મોત



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.28 એપ્રિલ, 2020, મંગળવાર

ધારાવીમાં કોરોના બેકાબૂ બની ગયો છે. આજે એક દિવસમાં ધારાવીમાં કોરોનાના નવા ૪૨ દરદી નોંધાતા અહીં સંખ્યા વધીને ૩૩૦ થઇ છે. જ્યારે ૪ જણનો ભોગ લેતા મરણાંક ૧૯ ઉપર પહોંચ્યો છે. આથી ધારાવીમાં રહેવાસીઓમાં હાહાકાર મચી ગયો છે.

આ સિવાય આજે માહિમ વિસ્તારમાં પાંચ અને દાદરમાં ૪ કોરોનાના દરદી મળી આવ્યા હતા. આથી પાલિકાના જી/નોર્થ વોર્ડમાં ત્રણ વિસ્તાર મળીને ૫૧ દરદી નોંધાયા છે. આથી પાલિકાનો આરોગ્ય વિભાગ ચિંતામાં ડૂબી ગયો છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zy3SDM
via Latest Gujarati News

Post a Comment

0 Comments