UPના 30 જિલ્લામાં કોરોનાનો કહેર, ઉત્તરાખંડમાં 13000 લોકો ક્વોરન્ટાઈન

લખનૌ, તા. 6 એપ્રિલ 2020 સોમવાર

ઉત્તર પ્રદેશના 30 જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર મચી ગયો છે. નોઈડામાં અત્યાર સુધી 58 કોરોનાના દર્દી મળ્યા છે. સરકારના તમામ ઉપાયો છતાં કોરોના નોઈડાની ઝૂંપડપટ્ટી અને ગામ સુધીમાં દસ્તક આપી ચૂક્યો છે. ઉત્તરાખંડમાં એક કોરોનાનો દર્દી મળ્યા બાદ 13000 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 294 કેસ સામે આવ્યા છે. સોમવારે 16 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં 6 દર્દી લખનૌના બલરામપુર હોસ્પિટલ, 8 દર્દી સીતાપુરના ખૈરાબાદ અને 2 દર્દી આગ્રાના એસએનએમસીમાં દાખલ કરાયા છે. અત્યાર સુધી વારાણસી, બસ્તી અને મેરઠમાં કોરોનાથી એક-એક દર્દીનું મોત નીપજ્યુ છે.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 294 કેસ સામે આવ્યા છે. સોમવારે 16 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં 6 દર્દી લખનૌના બલરામપુર હોસ્પિટલ, 8 દર્દી સીતાપુરના ખૈરાબાદ અને 2 દર્દી આગ્રાના એસએનએમસીમાં દાખલ કરાયા છે. અત્યાર સુધી વારાણસી, બસ્તી અને મેરઠમાં કોરોનાથી એક-એક દર્દીનું મોત નીપજ્યુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JJErks
via Latest Gujarati News

Post a Comment

0 Comments