
નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર
ચુંટણી પંચના અનુરોધ બાદ ફેસબુક, ટ્ટવીટર, ગૂગલ અને વોટ્સએપ પરથી 80 ટકાથી વધારે પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. આ તમામ પોસ્ટમાં આચારસંહિતાનો ભંગ થતો હોવાની વાત જણાવામાં આવી હતી. આ તમામ પોસ્ટને મતદાનના 48 કલાક પહેલા જ દૂર કરી દેવામાં આવી હતી.
આ ડેટા અનુસાર ચુંટણીના છેલ્લા ત્રણ ચરણ દરમિયાન આચાર સંહિતા લાગૂ હતી તે સમયે 4 કંપનીઓએ 537 પોસ્ટ અને જાહેરાતો હટાવી છે. જેમાં ફેસબુકએ 468 પોલિટિકલ પોસ્ટ, 60 પોલિટિકલ જાહેરાતો, ટ્વિટરએ 8 અને ગૂગલએ 2 વીડિયો દૂર કર્યા છે. ચુંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા લાગૂ થયા બાદ 37 પોસ્ટને લઈ પ્રશ્ન કર્યો હતો.
ફેસબુકની વાત કરીએ તો ત્રીજા ચરણના મતદાન સુધીમાં 2 પોસ્ટ ફેસબુકએ ડિલીટ કરી જ્યારે ટ્વિટર અને વોટ્સએપ પર 34 પોસ્ટ રીમૂવ થઈ છે. ફેસબુકએ 10 એવી પોસ્ટ પણ રીમૂવ કરી જેમાં મતદારોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ જ રીતે ટ્વીટર પરથી પણ મતદાતાઓને ભ્રમિત કરતી અને ભડકાઉ પોસ્ટને દૂર કરી છે. આ આંકડ 10 માર્ચથી અત્યાર સુધીના છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GEer8t
via Latest Gujarati News
0 Comments