નીતીશે ફરીથી મહાગઠબંધનમાં સામેલ થવા મારો સંપર્ક કરેલો પણ મેં ના પાડી દીધી : લાલુ


પટણા, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર

ચારા કૌભાંડ કેસમાં જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવે પોતાની આત્મકથા લખી બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર પર મોટો હુમલો કર્યો છે. 'ગોપાલગંજ ટુ રાયસીના : માય પોલિટિકલ જર્ની'માં લાલુપ્રસાદ યાદવે લખ્યું છે કે મુખ્યપ્રધાન નીતીશકુમાર મહાગઠબંધનથી અલગ થયાના છ મહિના પછી ફરીથી મહાગઠબંધનમાં પરત આવવા માગતા હતા પણ મેં ઇનકાર કર્યો હતો. 

લાલુના આ નિવેદન પછી જદ(યુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંત કિશોરે વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે લાલુનો આરોપ સંપૂણ રીતે નિરાધાર છે. કોઇ પણ નેતા પર આવા આરોપ મૂકવા તેમની હલકી માનસિકતા દર્શાવે છે.  લાલુ યાદવ સાથે મુલાકાત અંગે પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે જદ(યુ)માં સામેલ થતા પહેલા મારી તેમની સાથે અનેક  મુલાકાતો થઇ હતી જો હું આ મુલાકાતોનો ખુલાસો કરી દઉ તો તે ખૂબ જ શરમજનક સ્થિતિમાં મૂકાશે. 

જદ(યુ)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે લાલુ યાદવનો દાવો ખોટો છે. જે નેતાના સાદા દિવસો સમાપ્ત થઇ ગયા હોય તેના દ્વારા ચર્ચમાં રહેવા માટેનો આ ખૂબ જ ખરાબ પ્રયત્ન છે. તેમણે સ્વીકાર કર્યો હતો કે જદ(યુ)માં સામેલ થતા પહેલા હું અનેક વખત લાલુ યાદવને મળ્યો હતો પણ આ મુલાકાતમાં તેમની સાથે ક્યા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી તે જણાવી દઉ તો તે ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાશે. 

આ મુદ્દે તેજસ્વી યાદવે પોતાના પિતાની તરફેણમાં જણાવ્યું છે કે હું વિશ્વાસપૂર્વક જણાવું છે કે અલગ થયા પછી નીતીશકુમારે અનેક વખત મહાગઠબંધનમાં પરત ફરવાના પ્રયત્નો કર્યા હતાં. નીતીશકુમાર તરફથી મને અનેક ઓફર મળી હતી જેના પુરાવા મારી પાસે છે. 

તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે નીતીશકુમારે અનેક વખત કોંગ્રેસનો પણ સંપર્ક સાધ્યો હતો. જો કે અમે હવે ક્યારેય પણ નીતીશકુમાર સાથે ગઠબંધન કરી શકીએ તેમ નથી. પ્રશાંત કિશોર કોઇ પણ હેતુ વગર લાલુ યાદવને મળે તે શક્ય નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં રાજદ, કોંગ્રેસ અને જદ(યુ)એ સાથે મળીને ચૂંટણી લડી હતી. જેને મહાગઠબંધનનું નામ આપવામાં આવ્યું છે. મહાગઠબંધને લગભગ બે વર્ષ સુધી સરકાર ચલાવી અને પછી અલગ થઇ ગયા હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UxiKeB
via Latest Gujarati News

Post a Comment

0 Comments